CDS Bipin Rawat Death:  તમિલનાડુના કુનુર પાસે હેલિકોપ્ટર ક્રેશમાં સીડીએસ બિપિન રાવત અને તેમના  પત્નીનું નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર 10 ડિસેમ્બર એટલે કે શુક્રવારે દિલ્હી કેનટોનમેન્ટમાં કરવામાં આવશે. જનરલ રાવત અને તેમના પત્નીના પાર્થિવ દેહને આજે મિલિટ્રી વિમાનથી દિલ્હી લાવવામાં આવશે.


શુક્રવારે જનરલ રાવતના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાન પર સામાન્ય લોકોના  દર્શન માટે રાખવામાં આવશે. લોકો સવારે 11 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી તેમને અંતિમ સલામી આપી શકશે. ત્યારબાદ તેમના અંતિમ સંસ્કારની પ્રક્રિયા શરૂ કરાશે.


 


નોંધનીય છે કેદેશના પ્રથમ ચીફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતનું તમિલનાડુના કુનુરમાં એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું હતું. આ દુર્ઘટનામાં જનરલ રાવતના પત્ની મધુલિકા રાવતનું પણ નિધન થયું છે. દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર કુલ 14માંથી 13 લોકોના મોતની પુષ્ટી થઇ છે. જ્યારે દુર્ઘટના ઘાયલ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની સારવાર ચાલી રહી છે. જનરલ રાવતના નિધનથી દેશ દુખી છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કોગ્રેસ નેતા રાહુલ ગાંધી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું.


જનરલ બિપન રાવતના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લખ્યું કે જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકાજીના નિધનથી સ્તબ્ધ અને વ્યથિત છું. દેશે પોતાના સૌથી બહાદૂર સપૂતોમાંથી એકને ગુમાવ્યો છે. માતૃભૂમિ માટે તેમની ચાર દાયકાઓ સુધી નિસ્વાર્થ સેવા અસાધારણ વીરતા અને વીરતાથી ચિહ્નિત હતી. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના.


CDS Bipin Rawat Chopper Crash: આવતી કાલે સરકાર સંસદમાં આપશે હેલિકોપ્ટર ક્રેશ અંગે સત્તાવાર માહિતીઃ સૂત્ર


RBI News: ફીચર ફોન રાખતાં 55 કરોડ ગ્રાહકો માટે સારા સમાચાર, હવે કરી શકાશે UPI પેમેંટ


NPCIL Recruitment 2021: ન્યૂક્લિયર પાવર કોર્પોરેશનમાં નીકળી ભરતી, 10 અને 12 પાસ કરી શકે છે અરજી


ઓમિક્રોનના ખતરા વચ્ચે ભાજપ શાસિત આ રાજ્ય જાહેર કરશે કોરોનાની નવી ગાઈડલાઈન, જાણો વિગત


Skin care:સ્કિનને હેલ્થી અને ગ્લોઇંગ બનાવવા માટે વિટામિન A છે જરૂરી, આ રીતે કરો પૂર્તિ