લખનઉઃ લખનઉના વીવીઆઈપી વિસ્તાર ગૌતમપલ્લીમાં રેલવે અધિકારીના પુત્ર અને પત્નીની હત્યાની ઘટના સામે આવી છે. રેલવે અધિકારી આરડી વાજપેયીની પત્ની અને પુત્ર એમ ડબલ મર્ડરની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે.


રાજીત દત્ત વાજપેયી રેલવે બોર્ડના પ્રવક્તા છે. ગૌતમપલ્લીમાં તેમના સરકારી ઘરમાં પત્ની અને પુત્રની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આરડી વાજપેયીની પત્ની માલતીની ઉંમર 48-50 વર્ષ અને પુત્ર શરદની ઉંમર 21 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે.



પોલીસ અનેક એંગલથી મામલાની તપાસ કરી રહી છે. પોલીસ અધિકારીઓના કહેવા મુજબ આ મકાનમાં ફોર્સફુલ એન્ટ્રીના કોઈ પ્રમાણ મળ્યા નથી.

અમદાવાદઃ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા શરૂ થશે સી પ્લેન સર્વિસ, જાણો કેટલી હશે ટિકિટ

ગૃહ મંત્રી અમિત શાહ થયા ઠીક, એઇમ્સમાંથી જલદી થશે ડિસ્ચાર્જ