Fact Check: સોશિયલ મીડિયા પર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંથી કેટલીક ભ્રામક પણ હોય છે. આવી જ એક ભ્રામક વિજ્ઞાપન વાયરલ થઈ છે. જેમાં બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન હેઠળ સરકાર દ્વારા નોકરી, લેપટોપ અને મોબાઈલ આપવાનો દાવો કરવામાં આવ્યો છે.


પીઆઈબી ફેક્ટ ચેકે શું કહ્યું


આ વાયરલ વિજ્ઞાપન અંગે પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ કરીને લખ્યું, આ છેતરપિંડીનો પ્રયાસ છે. આ યોજના અંતર્ગત કોઈને પણ વ્યક્તિગત રીતે રૂપિયા આપવાની જોગવાઈ નથી.






આવા મેસેજથી સાવધાન રહો


ફેક્ટ ચેક બાદ પીઆઈબીએ આ મેસેજને સંપૂર્ણ રીતે ફેક ગણાવ્યો છે. પીઆઈબીએ કહ્યું કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આવા મેસેજથી દરેક વ્યક્તિએ સાવધાન રહેવું જોઈએ. પીઆઈબીએ લોકોને આવા મેસેજ ફોરવર્ડ ન કરવા જણાવ્યું હતું. આવા સંદેશાઓ દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવીને, તમે તમારી અંગત માહિતી અને પૈસા જોખમમાં મુકો છો.


નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.


આ પણ વાંચોઃ


Organic Farming: અમેરિકામાં 5 વર્ષ ચલાવ્યો ટ્રક, ભારત પરત ફરીથી શરૂ કરી પ્રાકૃતિક ખેતી, કરે છે બંપર કમાણી


ZycovD COVID vaccine: 12 વર્ષથી મોટી ઉંમરના બાળકોને આ ગુજરાતી કંપનીમાં બનેલી રસી અપાશે, જાણો વિગત


 Supreme Court:  બાળકોને નાની વયે સ્કૂલમાં ન મોકલો, મેન્ટલ હેલ્થ પર પડી શકે છે ગંભીર અસરઃ સુપ્રીમ કોર્ટ