નવી દિલ્હીઃ  દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020ના મંગળવારે પરિણામો જાહેર થયા હતા. જેમાં ફરી એક વખત આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી હતી. દિલ્હી વિધાનસભાની ચૂંટણીની 70 સીટ પૈકી આમ આદમી પાર્ટી(AAP)ને 62 અને ભારતીય જનતા પાર્ટી(BJP)ને  8 સીટ મળી હતી. કોંગ્રેસ સતત બીજી વખત વિધાનસભા ચૂંટણીમાં ખાતું ખોલાવી શકી નથી. કેજરીવાલે જીતની હેટ્રિક લગાવી હતી.


આ દરમિયાન  આજે કેજરીવાલ કેબિનેટને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જે મુજબ કેજરીવાલના કેબિનેટમાં કોઈ બદલાવ નહીં થાય. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 16 ફેબ્રુઆરીએ કેજરીવાલ અને તેના મંત્રીઓ ગોપનીયતાના શપથ લેશે.


સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેજરીવાલ સહિત સાત મંત્રીઓ શપથ લેશે. જેમાં મનીષ સિસોદિયો, સત્યેન્દ્ર જૈન,  ગૌપાલ રાય, કૈલાશ ગહલોત, ઈમરાન હુસૈન અને રાજેન્દ્ર પાલ ગૌતમના નામ છે.


આજે અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના  ચૂંટાયેલા ધારાસભ્યો સાથે તેમના નિવાસ સ્થાને મીટિંગ કરી હતી. ધારાસભ્યોની સર્વસંમતિથી કેજરીવાલને વિધાયક દળના નેતા પસંદ કરવામાં આવ્યા હતા. સરકાર બનાવવાનો દાવો કરતા પહેલા આ ઔપચારિકતા જરૂરી  છે.


Delhi Election Results: પ્રિયંકા ગાંધીએ કહ્યું, જનતા  જે કરે છે તે બરાબર છે

ગુજરાત કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાએ કેજરીવાલને જીતના આપ્યા અભિનંદન, જાણો વિગત

મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ આતંકી હાફિઝ સઇદને પાકિસ્તાની કોર્ટે સંભળાવી 5 વર્ષની સજા, જાણો વિગત

બુમરાહે વન ડેના નંબર વન બોલરનું સ્થાન ગુમાવ્યું, ન્યૂઝીલેન્ડ સામે 3 વન ડેમાં નહોતો ઝડપી શક્યો એક પણ વિકેટ