Kuno National Park: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના ખાસ અવસર પર મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં નામીબિયાથી લાવવામાં આવેલા 8 ચિત્તા છોડવામાં આવ્યા હતા. અભયારણ્યમાં 181 હરણ અને ચિત્તલને પણ છોડવામાં આવ્યા હતા, હવે આ ચિત્તાઓને ચિતલ અને હરણ ભોજન તરીકે આપવાનો મામલો વધુ વેગ પકડી રહ્યો છે. હરિયાણા ભાજપના નેતા કુલદીપ બિશ્નોઈએ તેની નિંદા કરી છે. તેમણે કેન્દ્ર સરકારને આ અંગે રોક લગાવવાની માંગ કરી છે.


બિશ્નોઈ સમાજે ચીમકી ઉચ્ચારીઃ


બિશ્નોઈ સમુદાય નામીબિયાથી લાવવામાં આવેલા વિદેશી ચિત્તાના ખોરાક અને શિકાર માટે પીરસવામાં આવતા હરણ અને ચિત્તલના મુદ્દાના વિરોધમાં ઉતરી આવ્યો છે. જોધપુરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. આ સાથે બિશ્નોઈ સમાજે ચીમકી ઉચ્ચારી છે કે, જો નિર્ણય પરત લેવામાં નહીં આવે અને સંગઠિત રીતે હરણનો શિકાર કરવામાં આવશે તો તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે.


બિશ્નોઈ પરિવાર લડે છે લડતઃ


પર્યાવરણ પ્રેમી બિશ્નોઈ સમાજ સદીઓથી પ્રાણીઓની હત્યા સામે સમાજની લડાઈ લડી રહ્યો છે. 1998માં બોલિવૂડ એક્ટર સલમાન ખાન સહિત અન્ય ફિલ્મ સ્ટાર્સનો શિકાર કરવામાં આવ્યો હતો. તે દરમિયાન પૂનમચંદ બિશ્નોઈ, હીરારામ બિશ્નોઈ, માંગીલાલ બિશ્નોઈ, તેરા રામ બિશ્નોઈ, જોગારામ બિશ્નોઈના પરિવારે કાકાણીમાં સંઘર્ષ કર્યો હતો અને સલમાન ખાન વિરુદ્ધ પોલીસમાં કેસ પણ કર્યો હતો. બધા ભાઈઓ હરણના શિકાર કેસમાં મુખ્ય સાક્ષી હતા, કુનો નેશનલ પાર્કમાં હરણ અને ચિત્તલને ચિત્તોને પીરસવામાં આવ્યાના સમાચાર પછી તેઓને દુઃખ થયું હતું.


ચિત્તાઓને ભોજન માટે હરણ-ચિત્તલ આપવાનો વિરોધઃ


કાકાણીમાં રહેતા શેરા રામે કહ્યું કે, અમે અને અમારો આખો સમાજ સદીઓથી પર્યાવરણ માટે લડી રહ્યા છીએ. આપણા બિશ્નોઈ સમાજે પણ હરણના શિકાર અને પર્યાવરણના રક્ષણ માટે જીવન આપ્યું છે. અમારા પરિવારના સભ્યોએ પણ ઘણો સંઘર્ષ કર્યો છે. અમને લાગતું હતું કે હરણના શિકાર પર પ્રતિબંધ મુકવામાં આવશે પરંતુ તેમ ન થયું. ત્યારે હવે કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓ માટે છોડવામાં આવેલા હરણ અને ચિત્તલ અંગે પણ બિશ્નોઈ સમાજે વિરોધ કર્યો છે. 


આ પણ વાંચોઃ


Navratri 2022: અંબાજી મંદિરે દર્શન માટે જતા ભક્તો માટે મહત્વના સમાચાર, આરતીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર