મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ નેતા નાના પટોલેનું વિધાનસભા અધ્યક્ષ તરીકે બિનહરિફ ચૂંટાયા હતા.  ભાજપે તેના ઉમેદવાર કિશન કથોરેનું નામ પરત લઈ લીધું છે.  એનસીપી નેતા છગન ભુજબળે આ વાતની જાણકારી આપી હતી.


બીજેપી નેતા ચંદ્રકાત પાટિલે કહ્યું કે, સરકારે નેતાઓને અમે અમારો ઉમેદવાર પરત ખેંચીએ અને રાજયની પરંપરા જળવાઈ તેવી વિનંતી કરી હતી. આ પરંપરાને જાળવી રાખવા અમે અમારા ઉમેદવારનું નામ પરત લીધું છે.


શનિવારે ઉદ્ધવ સરકારે ફ્લોર ટેસ્ટ પાસ કર્યો હતો. બહુમત પરીક્ષણ દરમિયાન કુલ 169 મત ઉદ્ધવ સરકારના પક્ષમાં પડ્યા હતા. વિપક્ષમાં એક પણ મત પડ્યો નહોતો. મતદાન દરમિયાન કુલ 4 ધારાસભ્યો તટસ્થ રહ્યા હતા. રાજ ઠાકરેની પાર્ટી એમએનએસએ સરકારના પક્ષમાં મત આપ્યો નહોતો. ઉદ્ધવ સરકારના બહુમત પરીક્ષણ વચ્ચે ભાજપના સભ્યોએ વોકઆઉટ કર્યું હતું. ભાજપના સભ્યોએ બહાર આવીને નારા લગાવ્યા હતા.


સ્પીકરની ચૂંટણી ઉપરાંત હવે ઉદ્ધવ સરકારના કેબિનેટ વિસ્તરણ પર લોકોની નજર છે. ડિસેમ્બરમાં પ્રથમ સપ્તાહ દરમિયાન થનારા વિસ્તરણમાં 14 મંત્રીઓ શપથ લઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઉદ્ધવ સરકારમાં સીએમ સહિત શિવસેનાના કુલ 16 મંત્રી, એનસીપીના 15 મંત્રી અને કોંગ્રેસના 12 મંત્રી સામેલ હશે. સૂત્રોના જણાવ્યા મુજબ શિવસેનાને શહેરી વિકાસ, આવાસ, સિંચાઈ અને મહારાષ્ટ્ર રાજ્ય સડક વિકાસ નિગમ મંત્રાલય મળશે. એનસીપીના ખાતામાં ગૃહ, નાણા, વીજળી અને વન પર્યાવરણ મંત્રાલય આવશે. જ્યારે કોંગ્રેસના રેવન્યૂ, પીડબલ્યુડી મંત્રાલય મળવાની સંભાવના છે.


કોણ છે નાના પટોલે

નાના પટોલે કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા અને બીજેપીની ટિકિટ પર 2014ની લોકસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. પરંતુ પટોલેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તત્કાલીન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મતભેદો બાદ ડિસેમ્બરે 2017માં ભાજપને રામ રામ કરી દીધા હતા અને કોંગ્રેસમાં પરત પર્યા હતા. પટોલે વિદર્ભની સકોલી વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરે છે.

ગુજરાતમાં મધરાતે કઈ જગ્યાએ એક કલાક સુધી મુશળધાર વરસાદ પડ્યો, જાણો વિગત

ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર, જાણો રાજયમાં કઈ તારીખે કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

આજથી ફોન પર વાત કરવી થશે મોંઘી, બેંક-વીમા સાથે સંકળાયેલા આ નિયમ પણ બદલાશે