સુરત: રાજ્યમાં ગમખ્વાર અકસ્માત અટકવાનું નામ નથી લઈ રહ્યા. આજે સુરતના મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા.




મળતી માહિતી પ્રમાણે મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર તરકાણી ગામની સીમ નજીક બનાવ બન્યો હતો. જેમાં લક્ઝરી બસના ચાલકે અન્ય બસને ઓવરટેક કરવાની લ્હાયમા રોંગ સાઈડે બસ હંકારી લાવી બે મોટરસાયકલને અડફેટે લીધા હતા. આ ઘટનામાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે 4 લોકો ઘાયલ થયા હતા.



અકસ્માતમાં મૃત્યુ પામનારા બંને વ્યક્તિ ગાંગડિયા અને તરકારી ગામના હતા. અકસ્માત બાદ બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ  ગયો હતો. ઘટનાની જાણ થતાં આવી પહોંચેલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 આધાર હશે તો તરત જ મળી જશે PAN નંબર, ફોર્મ ભરવાની પણ નહીં પડે જરૂરઃ બજેટ 2020માં થઈ જાહેરાત

હાઉસિંગ લોન લઈને ઘર ખરીદનારા લોકો માટે બજેટમાં શું થઈ જાહેરાત, જાણો વિગતે

બજેટ 2020: નાણા મંત્રીની જાહેરાત બાદ શું થશે સસ્તું અને શું થશે મોંઘું, જાણો