ઈરાન: સુલેમાનીની અંતિયાત્રામાં ભાગદોડ, 50 લોકોના મોત
abpasmita.in | 07 Jan 2020 04:42 PM (IST)
અમેરિકાએ ઈરાકની રાજધાની બગદાદ પર હવાઈ હુમલો કર્યો હતો. જેમાં ઈરાની સેનાના ટૉપ કમાન્ડર કાસિમ સુલેમાનીનું મોત થયું હતું.
તેહરાન: અમેરિકી ડ્રોન એટેકમાં માર્યા ગયેા ઈરાનના પ્રમુખ સેન્ય કમાન્ડર સુલેમાનીના જાનાજાના જુલૂસમાં ભાગદોડ મચી જતા 50 લોકોના મોત થયા હતા અને કેટલાક લોકો ઘાયલ થયા છે. ઈરાનની સરકારી ટીવીએ આ જાણકારી આપી છે. સોમવારે તેહરાનમાં સુલેમાનીની અંતિમયાત્રામાં 10 લાખથી વધુ લોકો ઉમટી પડ્યા હતા. સરકારી ટીવીના ઓનલાઈન અહેવાલ મુજબ, કાસિમ સુલેમાનીના ગૃહનગર કરમાનમાં તેની દફન વિધિમાં ભેગા થયેલા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. ઈરાનના ઇમર્જન્સી મેડિકલ સર્વિસના પ્રમુખ પીરહુસૈન કુલીવંદના જણાવ્યા અનુસાર કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે અને કેટલાકના મોત થયા છે. જો કે તેમણે જાનહાનિની સંખ્યા સ્પષ્ટ કરી નથી. હુમલા બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધી ગયો છે અને ઈરાને તેનો બદલો લેવાની વાત કરી છે. ઈરાનની સંસદે એક વિધેયક પાસ કરીને તમામ અમેરિકી દળોને આતંકવાદી જાહેર કરી દીધાં છે. સુલેમાનીની અંતિમ વિદાયમાં રડ્યું આખુ ઇરાન, દીકરીએ કહ્યુ- અમેરિકાના ખરાબ દિવસો શરૂ સુલેમાનીની હત્યાથી ગુસ્સામાં ઇરાન, ટ્રમ્પના માથા પર રાખ્યું આઠ કરોડ ડોલરનું ઇનામ