Ishant Sharma Reaction On Rishabh Pant Injury: આ વર્ષે વર્લ્ડ કપ ભારતની ધરતી પર યોજાવાનો છે. ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે રમાશે. જ્યારે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. જોકે, ભારતીય ક્રિકેટ ચાહકો માટે કોઈ સારા સમાચાર નથી.  ઋષભ પંત વર્લ્ડ કપમાં રમી શકશે નહીં. આ સિવાય તે આવતા વર્ષે પણ આઈપીએલમાં રમી શકશે નહીં. ઋષભ પંત IPL 2024માં નહીં રમે તે દિલ્હી કેપિટલ્સ માટે એક મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.


ઋષભ પંતની ફિટનેસ પર ઈશાંત શર્માએ શું કહ્યું ?


જિયો સિનેમા પર  ભારતીય ક્રિકેટર ઇશાંત શર્માએ કહ્યું કે ઋષભ પંત માત્ર વર્લ્ડ કપમાં જ નહીં રમી શકશે, પરંતુ તે IPL 2024માં પણ રમી શકશે નહીં. ઈશાંત શર્માના મતે ઋષભ પંત IPL 2024 સુધી ફિટ નહીં રહે. ઋષભ પંત IPLમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમે છે. જોકે, આગામી IPL સુધી ઋષભ પંતનું ફિટ ન હોવું એ દિલ્હી કેપિટલ્સ માટે મોટો ફટકો માનવામાં આવે છે.


ઈશાંત શર્મા ભૂતકાળમાં ઋષભ પંતને મળ્યો હતો


ઇશાંત શર્મા તાજેતરમાં તેના સાથી ખેલાડી ઋષભ પંતને મળ્યો હતો. આ સિવાય ઈશાંત શર્મા અને ઋષભ પંતે IPL 2023 દરમિયાન ઘણો સમય સાથે વિતાવ્યો હતો. ઈશાંત શર્મા અને ઋષભ પંત IPLમાં દિલ્હી કેપિટલ્સનું પ્રતિનિધિત્વ કરે છે. તેમજ બંને ખેલાડીઓ ઘરેલુ ક્રિકેટમાં દિલ્હી તરફથી રમે છે. ઈશાંત શર્માએ જિયો સિનેમા પર ઋષભ પંતની ઈજાને લગતી માહિતી આપી હતી. 


ભારતના પાંચ શ્રેષ્ઠ ખેલાડીઓ ઈજાના કારણે ટીમની બહાર છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શુક્રવારે ખેલાડીઓના મેડિકલ અપડેટ આપ્યા હતા.  બોર્ડે ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ, બેટ્સમેન કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, પ્રસિદ્ધ કૃષ્ણા અને ઋષભ પંતના ફિટનેસને લઈ અપડેટ્સ આપ્યા હતા.  ક્રિકેટ બોર્ડે ટ્વીટ કરીને જણાવ્યું કે આ ખેલાડીઓએ પરત ફરવા માટે કેટલી તૈયારી કરી છે. બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા અંતિમ તબક્કામાં છે. જ્યારે રાહુલ અને અય્યર નેટ્સમાં બેટિંગ કરી રહ્યા છે. ઋષભ પંત રિહેબમાંથી પસાર થઈ રહ્યો છે.