T20 World Cup: ટીમ ઈન્ડિયાના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ સલાહ આપી છે કે, ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટી20 ફોર્મેટમાં (T20 Format) રમાનારી દ્વિપક્ષીય સીરીઝ ના રમાવી જોઈએ. રવિ શાસ્ત્રીના મત મુજબ ફક્ત વિશ્વ કપ (T20 World Cup) પુરતી જ આવી સીરીઝને સીમિત રાખવી જોઈએ. તેમણે આ વાત ભાત દક્ષિણ આફ્રીકા (IND vs SA) વચ્ચે રમાનારી 5 મેચોની ટી20 સીરીઝ પહેલાં જણાવી છે. આ સાથે તેમણે એ સલાહ પણ આપી કે, આઈપીએલ વર્ષમાં 2 વખત યોજાવી જોઈએ.


ટી20માં ઘણી દ્વિપક્ષીય ક્રિકેટ રમાય છેઃ
શાસ્ત્રીએ ઈએસપીએન ક્રિકઈન્ફો સાથે કરેલી વાતચીતમાં કહ્યું કે, "ટી20માં ઘણી દ્વિપક્ષીય ક્રિકેટ રમાતી હોય છે. હું જ્યારે ભારતીય ટીમનો કોચ હતો ત્યારે પણ મેં આ વાત મુકી હતી. આઈપીએલના આગામી 5 વર્ષના મીડિયા અને બ્રોડકાસ્ટ રાઈટ્સ જૂન મહિનામાં વેચવામાં આવશે" એવામાં રવિ શાસ્ત્રીએ આઈપીએલના ભવિષ્ય અંગે કહ્યું કે, "આ ભવિષ્ય છે. આઈપીએલની કુલ 140 મેચોને 70-70 મેચોમાં ભાગ પાડવો જોઈએ અને તેથી તમને આઈપીએલના બે સીઝન જોવા મળી શકે છે"


આ ઓવરડોઝ નહી થાયઃ
રવિ શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, તમે વિચારી શકો છો કે આ વધારે થઈ જશે પરંતુ ભારતમાં કંઈ પણ ઓવરડોઝ થતું નથી. મેં બાયો-બબલ બહાર લોકોને જોઈ ચુક્યો છું. કોરોનાથી બહાર આવ્યા બાદ છેલ્લા કેટલાક મહિનાઓથી હું જોઉં છુ કે, કઈ રીતે કોરોનાની સમીક્ષા કરી છે અને તેઓ કઈ રીતે દરેક પળને માણે છે આ સાથે કોરોના ખત્મ થયા બાદ તેમને નિરાશ પણ થઈ રહી છે. શાસ્ત્રીએ કહ્યું કે, ટી20 ક્રિકેટ ફુટબોલની જેમ હોવી જોઈએ. તમે ફક્ત વિશ્વ કપ રમો છો. દ્વિ પક્ષીય ટૂર્નામેન્ટને કોઈ યાદ નથી રાખતું.


આ પણ વાંચોઃ


BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પોતાની નવી ઈનિંગના આયોજન વિશે જણાવ્યું, રાજીનામાના સમાચાર ખોટા હતા