મેલબર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો 8 વિકેટથી વિજય થયો હતો. મેચ જીતવા 70 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે 2 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ગિલ 35 અને રહાણે 27 રને નોટ આઉટ રહ્યા હતા. આ પહેલા   મયંક અગ્રવાલ 5 અને પુજારા 3 રન બનાવી આઉટ થયા હતા. બીજી ટેસ્ટમાં જીત સાથે સીરિઝ 1-1થી સરભર થઈ ગઈ છે. ત્રીજી ટેસ્ટ સિડનીમાં રમાશે.


મેચ બાદ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ કોહલીની ગેરહાજરીમાં કેપ્ટનશિપ કરી રહેલા અજિંક્ય રહાણેના ભરપેટ વખાણ કર્યા હતા. શાસ્ત્રીએ રહાણેને ચાલાક કેપ્ટન ગણાવીને કહ્યું, તેમનો શાંત સ્વભાવ નિયમિત કેપ્ટન વિરાટ કોહલીથી અલગ છે, જે હંમેશા જોશ અને ઝનૂનથી ભરેલો હોય છે.

શાસ્ત્રીએ કહ્યું, તે ઘણો ચાલાક કેપ્ટન છે અને રમતને સારી રીતે જાણે છે. તેના શાંત સ્વભાવથી નવા ખેલાડીઓ અને બોલર્સને મદદ મળી. ઉમેશ ન હોવા છતાં તે વિચલિત થયો નહોતો. તે જ્યારે બેટિંગમાં આવ્યો ત્યારે અમે 60 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ તેણે છ કલાક બેટિંગ કરી. આ સરળ વાત નહોતી. તેણે ધીરજ જાળવી રાખી. જે મેચનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ હતી.



હવે Mobile Appથી જાણી શકાશે સોનું અસલી છે કે નકલી, જાણો કેવી રીતે કામ કરે છે એપ્લીકેશન

ભારતે ઓસ્ટ્રેલિયામાં જીતી આઠમી ટેસ્ટ, જાણો ક્યારે ક્યારે મેળવ્યા વિજય