બનાસકાંઠામાં નરભક્ષી રીંછનું લોકેશન ટ્રેક કરી મરાયું ઠાર, જુઓ VIDEO
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
પાલનપુર:દાંતા તાલુકાના કાંસા ગામ નજીક અંબાજી અભયારણ્યમાં નરભક્ષી રીંછે રવિવારથી મંગળવાર સુધીમાં આતંક મચાવતા ત્રણ વ્યક્તિઓના મોત જ્યારે 4 લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા. આ નરભક્ષી રીંછના ડરથી ચારેબાજુ ફફડાટ વ્યાપી ગયો હતો. અને વનવિભાગને બોલવવામાં આવ્યું હતું. આ ઘટનામાં રીંછને પકડવા માટે 200 લોકો સાથે અભિયાન શરૂ કરાયું હતું. જેને ભારે જહમત બાદ વનવિભાગ અને પોલીસને સફળતા મળી હતી.
આજે સવારથી બનાસકાંઠા વન વિભાગના 200 કર્મચારીઓ દ્વારા રિંછને પકડવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પરંતુ નિષ્ફળતા હાથ લાગી હતી. જેથી ગામજનોમાં રોષની લાગ્ણી વ્યાપી ગઈ હતી. બાદમાં વનવિભાગ અને પોલીસે નરભક્ષી રીંછને ઠાર મારવાનો નિર્ણય લીધો હતો. બાદમાં વન વિભાગ અને પોલીસે નરભક્ષી રીંછને પકડવા માટે ટ્રેપ અને કેમેરા ડિવાઈઝથી રીંછનું લોકેશન ટ્રેક કરીને ઠાર માર્યું હતું.
આજે સવારથી બનાસકાંઠા વન વિભાગના 200 કર્મચારીઓ દ્વારા રિંછને પકડવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પરંતુ નિષ્ફળતા હાથ લાગી હતી. જેથી ગામજનોમાં રોષની લાગ્ણી વ્યાપી ગઈ હતી. બાદમાં વનવિભાગ અને પોલીસે નરભક્ષી રીંછને ઠાર મારવાનો નિર્ણય લીધો હતો. બાદમાં વન વિભાગ અને પોલીસે નરભક્ષી રીંછને પકડવા માટે ટ્રેપ અને કેમેરા ડિવાઈઝથી રીંછનું લોકેશન ટ્રેક કરીને ઠાર માર્યું હતું.