ભાજપ કારોબારીમાં પધારેલા અડવાણીને જોઈને રૂપાણી, દિનેશ શર્માએ શું કર્યું ? જાણીને લાગશે આઘાત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ભુવનેશ્વરઃ ભાજપમાં એક સમયે જેમના નામના સિક્કા પડતા તે લાલકૃષ્ણ અડવાણીની હવે કેવી હાલત થઈ છે તેનો અહેસાસ ભુવનેશ્વરમાં ચાલતી રાષ્ટ્રીય કારોબારીમાં થયો. કારોબારીના પહેલા દિવસે અડવાણી આવ્યા ત્યારે તેમને માન આપવા કોઈ ુભું પણ નહોતું થયું. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા અને કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ એક સોફામાં બેઠા બેઠા વાતો કરતા હતા. અડવાણી તેમની બિલકુલ સામેથી પસાર થયા છતાં આ ત્રણેય વાતો કરતા રહ્યા ને અડવાણી સામે જોવાની તસદી સુધ્ધાં તેમણે નહોતી લીધી