અમદાવાદઃ વાસણામાં મંદિરે દર્શન કરવા ગયેલા બિઝનેસમેનની હત્યા, પોલીસ ઘટનાસ્થળે

Continues below advertisement
અમદાવાદઃ શહેરના વાસણા વિસ્તારમાં જીવરાજ મહેતા હોસ્પિટલ પાસે આવેલી લાવણ્ય સોસાયટીમાં ટ્રાન્સફોર્ટનો બિઝનેસ કરતાં વેપારીની હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. ઘટનાના સમાચાર મળતાં પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે. વેપારીની ગોળી મારીને હત્યા કરી હોવાના અહેવાલ સામે આવ્યા હતા. જોકે, પોલીસ હથિયાર વડે હુમલો કરી હત્યા થઈ હોવાનું જણાવી રહી છે.

આ અંગેની વિગત એવી છે કે, માણેકચોકમાં ટ્રાન્સફોર્ટની ઓફિસ ધરાવતાં અને સુરેશભાઈ શાહની આજે લાવણ્ય સોસાયટીમાં આવેલા વિશ્વેશ્વર મહાદવે મંદિર પરિસરમાં કોઈએ હત્યા કરી નાંખી છે. વેપારી સોસાયટીના 20 નંબરના બંગલા પાસે આ મંદિર આવેલું છે. અહીં તેઓ દર્શન કરવા આવ્યા ત્યારે તેમની હત્યા થઈ હતી.

આ અંગે પોલીસને જાણ કરાતા જોન 7 ડીસીપી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને કારણે હાલ સ્થાનિકોનો ઘટનાસ્થળે પહોંચ્યા છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓ ગ્લોઝ પહેરીને આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram