અમદાવાદઃ મંદિરે દર્શન કરવા આવેલા વેપારીની ગોળી મારી હત્યા, શું હતું કારણ? જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદઃ શહેરના વાસણા વિસ્તારમાં જીવરાજ મહેતા હોસ્પિટલ પાસે આવેલી લાવણ્ય સોસાયટીમાં ટ્રાન્સફોર્ટનો બિઝનેસ કરતાં વેપારીની હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. વેપારીની હત્યાના સમાચાર મળતાં પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે. વેપારીની ગોળી મારીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત વેપારી પર હથિયારથી પણ હુમલો કરાયો છે.

આ અંગેની વિગત એવી છે કે, માણેકચોકમાં ટ્રાન્સફોર્ટની ઓફિસ ધરાવતાં અને સુરેશભાઈ શાહની આજે લાવણ્ય સોસાયટીમાં આવેલા વિશ્વેશ્વર મહાદવે મંદિરમાં કોઈએ હત્યા કરી નાંખી છે. અહીં તેઓ દર્શન કરવા આવ્યા ત્યારે તેમની હત્યા થઈ હતી. હત્યા અંગત અદાવતમાં કરવામાં આવી હોવાનું હાલ જાણવા મળ્યું છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram