સોમનાથમાં અમિત શાહ, રૂપાણી અને અન્ય નેતાઓ સાથે બંધ બારણે બેઠક, અનેક તર્કવિતર્ક

Continues below advertisement
સોમનાથઃ આજે પ્રદેશ ભાજપની કારોબારી બેઠકનો બીજો દિવસ છે. બેઠકમાં આજે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ભાગ લેવાના છે. આ બેઠક માટે આજે અમિત શાહ સોમનાથ પહોંચી ગયા છે. સવારે 11 વાગ્યાથી અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, કેન્દ્રીયમંત્રી પુરુષોત્તમ રૂપાલા, ભાજપ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, વચ્ચે બંધ બારણે બેઠક ચાલી રહી છે. આ મેરેથોન બેઠકને કારણે અકને તર્ક-વિતર્ક સર્જાયા છે. વહેલી ચૂંટણી યોજાઇ તેવી શક્યતા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram