રૂપાણીનું બીજું મોટું જૂઠાણુઃ કોંગ્રેસે સરદાર પટેલનું પોર્ટ્રેઈટ સંસદમાં નહોતું મૂક્યું, જાણો શું છે હકીકત ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકાર આવી પછી સરદાર પટેલને ‘ભારતરત્ન’ આપ્યો હતો તેવું મોટું જૂઠાણું ચલાવ્યા પછી બીજું મોટું જૂઠાણું એ ચલાવ્યું કે, કોંગ્રેસે 40 વર્ષ સુધી શાસન કર્યું પણ સરદાર પટેલનું પોર્ટ્રેઈટ (તૈલચિત્ર) સંસદમાં નહોતું મૂક્યું. આ સાવ ખોટી વાત છે કેમ કે કોંગ્રેસના શાસનમાં ઈસવી સન 1858માં જવાહરલાલ નહેરૂ દેશનાં વડાપ્રધાન હતા ત્યારે જ સરદાર પટેલના પોર્ટ્રેઈટ (તૈલચિત્ર)નું અનાવરણ કરાયું હતું. સરદાર વલ્લભભાઈ પટેલનાં પોર્ટ્રેઈટ(તૈલચિત્ર)નું સંસદ ભવનનાં સેન્ટ્રલ હોલમાં 23 એપ્રિલ, 1958ના રોજ ભારતના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પોર્ટ્રેઈટ 7’ 3” x 4’ 3” સાઈઝનું છે. જેના દાતા ગ્વાલિઅરના મહારાજા હતા. આ પોર્ટ્રેઈટ એન. એસ. શુભક્રિષ્ના નામના આર્ટિસ્ટે બનાવ્યું હતું.