વાડજના ભીમજીપુરામાં ફટાકડાના કારણે ફર્નિચરની 12 દુકાનોમાં લાગી આગ, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદમાં દિવાળીના પર્વમાં ફટાકડાના કારણે 30 જેટલા સ્થળોએ આગ લાગવાની ઘટના બની હતી. વાડજના ભીમજીપુરામાં ઝૂંપડપટ્ટીમાં આવેલી ફર્નિચરની 12 દુકાનોમાં ભીષણ આગ લાગી હતી. ફાયરબ્રિગેડની 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવાના પ્રયાસો હાથ ધર્યા હતા. 

નવા વર્ષની ઉજવણી કરવા કેટલાક લોકો ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે ફટાકડાની ચિનગારી ફર્નિચરની દુકાનમાં પડતા આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું..આ ઘટનાથી સ્થાનિક રહીશોમાં નાસભાગ મચી ગઇ હતી.પોલીસે સમગ્ર વિસ્તાર કોડન કરીને લોકોને સલામત ખસેડયા હતા. જ્યારે આગના કારણે લાખોનું નુકસાન થયું હતું. મહત્વનું છે કે ફટાકડાના કારણે એક રાતમાં 30થી વધુ આગની ઘટના બની હતી. પણ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. હાલમાં ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી આગ પાછળનું ચોક્ક્સ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram