કુલભૂષણ જાધવ મામલે શું કહ્યું પૂર્વ લોકાયુક્ત જસ્ટિસ એસ એમ સોનીએ, જુઓ વીડિયો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ ભારતીય નેવીના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને પાકિસ્તાને આપેલી ફાંસીની સજા બાબતે ગુજરાત હાઇકોર્ટના નિવૃત ન્યાયાધીશ એસ એમ સોનીએ એબિપી અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે પાકિસ્તાને જંગલી કાનૂન હેઠળ કુલભૂષણને ફાંસીની સજા સંભળાવી છે.
પાકિસ્તાને કોઇ કાયદાકીય પ્રક્રિયા અનુસરી નથી. ખાસ કરી જ્યુડિશિસરી કાનૂની પ્રક્રિયાને બદલે પાકિસ્તાને કુલભૂષણ વિરુદ્ધ આર્મી કોર્ટ હેઠળ કેસ ચલાવીને ફાંસીની સજા સંભળાવી જે એકદમ ખોટું છે. આ ઉપરાંત ભારત અને પાકિસ્તાન વચ્ચે વીએના કન્વેન્શન હેઠળ 1963માં એક કરાર થયેલ છે જેમાં બંને દેશો વચ્ચે ન ઉકેલી શકાય તેવી બાબતોને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં પડકારી શકાય છે જે સમજૂતી બંને દેશોએ 1977 માં સ્વીકારેલી છે જે બાબતે ભારતે આ મુદ્દો યુનો અથવા ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં પડકારવો જોઈએ.