પાટણ આત્મવિલોપન મામલો: પરિવારજનોની માંગણી સ્વીકારવાને લઈને DyCM નીતિન પટેલે શું કહ્યું? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
પાટણ આત્મવિલોપન કરનાર ભાનુભાઈના પરિવારની તમામ માગ રાજ્ય સરકારે સ્વીકારી હોવાનું નીતિન પટેલે નિવેદન આપ્યું છે. તમને જણાવી દઈએ કે પાટણ કલેકટર કચેરી આગળ દલિત વૃદ્ધ ભાનુભાઈ વણકરે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જેનું શુક્રવાર રાતે મોત નીપજ્યું હતું. ત્યાર બાદ ઠેર-ઠેર વિરોધ થઇ રહ્યો છે. ત્યારે દલિતો આગેવાનોનું પ્રતિનિધિમંડળ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. જે બેઠક બાદ રાજ્ય સરકારે ભાનુ ભાઈના પરિવારની તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે.