Hu to Bolish | હું તો બોલીશ | પુલની પોલખોલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોરબીની મચ્છૂ નદી... જેમાં BAPS સ્વામીનારાયણ મંદિરના વહીવટદારો બનાવી રહ્યા હતા મોટી દિવાલ...જેને લઈ મંદિરના વહીવટદારોને મોરબી નગરપાલિકાએ નોટીસ ફટકારી છે...નોટીસમાં આદેશ કરાયો છે કે, મચ્છૂ નદીના પટમાં કરેલ ગેરકાયદે બાંધકામને 2 દિવસમાં જ સ્વખર્ચે દૂર કરો...મંજૂરી વિના જ મચ્છૂ નદીના પટમાં કરાયું હતું બાંધકામ... એવામાં નદીના પટથી 30 મીટરની અંદર કંટ્રોલ લાઈનમાં કરેલા ગેરકાયદે બાંધકામ દૂર કરવા આદેશ કરાયો છે...નદીના પટમાં દિવાલ બનાવવાના કારણે મોરબીવાસીઓને ડર હતો કે નદીના પાણીનો પ્રવાહ અવરોધાશે અને શહેરમાં ઘૂસી જશે....
ખેડા જિલ્લાનું અકલાચા ગામ...અહીં મહિસાગર નદી વહે છે... આ નદી ઉપર અનેક બેઠાપુલ છે...આ બેઠાપુલ કોઈ ગ્રામજનોની સહુલિયત માટે સરકારે નથી બનાવ્યા...આ ગેરકાયદે બેઠાપુલ ખનીજ માફિયાઓએ પોતાની સહુલિયત માટે બનાવ્યા છે...આપ વિચારી શકતા હશો કે અહીં ગેરકાયદે પ્રવૃત્તિ કેટલી હદે ફૂલીફાલી છે...એટલું જ નહીં આ ગેરકાયદે રોડ 2 વર્ષથી બનેલો છે....અને અહીંથી ખનીજ માફિયાઓના માલ ભરેલા વાહનો પણ પસાર થઈ રહ્યા છે...છતાં પણ સ્થાનિક પ્રશાસનને કે સરકારને આ બાબતની જાણ પણ નથી...ખનીજ માફિયાઓએ નદીના પાણીને અવરોધી પાણીના વહેણ માટે મોટી પાઈપ લગાવીને રાણીયા, અકલાચા, સેવાલીયા, પંચમહાલ, વડોદરા, ગળતેશ્વર ડેસર સહિતના રસ્તાઓને જોડતો રોડ બનાવી નાખ્યો છે....આટલું ઓછું હોય તેમ ખનન માફિયાઓ નદીના કિનારે હજુ એક નવો રોડ બનાવી રહ્યા છે....ચોમાસામાં મહીસાગર નદી બે કાંઠે વહેતી હોય છે...જેના કારણે કોરી લઈ જવાના રસ્તાઓ બંધ થઈ જતા હોય છે...આ સંજોગોમાં બે નંબરનો ધંધો બંધ ન થાય અને રોયલ્ટી ચોરી કરી શકાય તે માટે ખનીજ માફિયાઓએ રોડ બનાવવાનો પેંતરો અજમાવ્યો છે...ગેરકાયદે રોડ મુદ્દે જ્યારે અમારા સંવાદદાતાએ ખાણ ખનીજ વિભાગના અધિકારીને પૂછ્યું તો તેમનું કહેવું હતું કે, નદીમાં બનાવેલ બ્રિજ ગ્રામ પંચાયતની સહમતિથી બનાવ્યો છે...કોઈ પણ પ્રકારનુ ગેરકાયદે ખનન નથી થયું...તો બીજી બાજુ ગામના સરપંચ પતિનું કહેવું છે કે, નદીમાં રોડ બનાવવા મુદ્દે કોઈ સહમતી લેવામાં નથી આવી...