Hu to Bolish | હું તો બોલીશ | ખેતરની સાથે ધોવાયું નસીબ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજૂનાગઢના કેશોદ તાલુકાનું બામણાસા ગામ...અહીં જુનાગઢ જિલ્લાના સિંચાઈ વિભાગે 1 કરોડ, 36 લાખના ખર્ચે નદીના પાણીને રોકવા માટે બનાવાયો હતો સંરક્ષણ પાળો...હજુ તો 29 જૂને આ પાળાનું કામ પૂર્ણ થયું અને 1 જુલાઈના વરસેલા વરસાદમાં તે તૂટી ગયો...ઓઝત નદીના પાણી બામણાસા સહિતના ગામોમાં ન ઘૂસે તે માટે પાળો બનાવવામાં આવ્યો હતો...જો કે તે તૂટી જતા ઓઝત નદીના પાણીએ ઘંડ પંથકમાં તબાહી મચાવી...આસપાસના 12 ગામ બાલા, સરોર, અખોદર, પંચાળા અને સામેકાંઠાના ગામ મટિયાણા, આંબલિયા, ઘોયલાણા, પાદરડી ગામમાં પાણી ઘૂસી ગયા.....અને ગામની હજારો વીઘા જમીનનું ધોવાણ થયું....ખેડૂતોની વાવણી તો નિષ્ફળ ગઈ જ પણ જમીનનું ધોવાણ થતા હવે બીજો પાક ક્યારે લેવાશે તે ખેડૂતો નક્કી કરી શકતા નથી....ખેડૂતોએ વીઘે 12થી 15 હજાર રૂપિયાનો ખર્ચો કરી મગફળીનું વાવેતર કર્યું હતું...જે સંદતર નિષ્ફળ ગયું....ખેડૂતોનો આરોપ છે કે, અધિકારીઓની મીલિભગતને લીધે પાળો ઉંચો કરવામાં આવ્યો નહીં...જો પાળો થોડો ઉંચો હોત તો ધોવાણ ન થયું હોત.....પાળો બનતો હતો ત્યારે તેની ડિઝાઈન અને ગુણવત્તા ઉપર ખેડૂતોએ સવાલ ઉઠાવ્યા હતા....છેલ્લા 10 વર્ષથી ખેડૂતોને આવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે....ખેડૂતોની માત્ર એક જ માંગ છે કે, સરકાર તાત્કાલિક મજબૂત પાળો બનાવી આપે....