Hu to Bolish | હું તો બોલીશ | સસ્તુ અનાજ કોણ કરે છે છૂમંતર?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાવનગર જિલ્લામાં અનાજ રેકેટનો થયો છે પર્દાફાશ. સિહોર તાલુકાનું સણોસરા ગામ જ્યાં આજે ગામના જાગૃત નાગરિકે અનાજ માફિયાના વચેટિયાને રંગેહાથ ઝડપી પાડ્યો. આ લોકો BPL અને LPL કાર્ડથી ગરીબ લોકોને જે સરકારી અનાજની દુકાન પરથી અનાજ મળ્યું હોય તેને રૂપિયાની લાલચ આપી તેમની પાસેથી આ અનાજ ખરીદે છે. ત્યારબાદ આ અનાજ સીધું મોટા અનાજ માફિયાઓ સુધી પહોંચે છે અને અનાજ માફિયા વેપારીઓ સુધી પહોંચાડે છે. જેમાંથી લાખો અને કરોડો રૂપિયાનો કાળો કારોબાર કરવામાં આવે છે. આ અંગે જ્યારે અમારા સંવાદદાતા પાર્થ મજેઠિયાએ પુરવઠા અધિકારીનો સંપર્ક કર્યો તો તેમણે કોઈ પણ જવાબ ન આપ્યો. ભૂતકાળમાં પણ ભાવનગરમાંથી સરકારી અનાજના આખેઆખા ટ્રક પકડાયા છે. આજે ઈમરાન નામનો આ છકડોચાલક પકડાયો તે સરકારી અનાજ પાલીતાણા મોકલતો હોવાનો દાવો કરી રહ્યો છે.