Hun To Bolish | હું તો બોલીશ | કૌભાંડીઓને બચાવે છે કોણ?
Download ABP Live App and Watch All Latest Videos
View In AppHun To Bolish | હું તો બોલીશ | કૌભાંડીઓને બચાવે છે કોણ?
કોણ બચાવે છે પુરવણી કાંડના આરોપીઓને? પુરવણી કાંડના પાપીઓ સામે કરો કાર્યવાહી. ધારાસભ્ય કિરીટ પટેલની કાર્યવાહીની માગ. ગુણ સુધારા કૌભાંડના કૌભાંડી સામે કરો કાર્યવાહી. બે- બે વર્ષ થવા છતા નથી થતી કાર્યવાહી.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની જ્યાં આ જ યુનિવર્સિટી અંતર્ગત 2018 માં એમબીબીએસની પરીક્ષા લેવાઈ હતી. આખીને આખી આન્સર બુક બદલાઈ અને વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા. આપની ચેનલ એબીપી અસ્મિતા આ મુદ્દાને ઉજાગર કર્યો. સાથે જ ઇન્ક્વાયરી કમિટી પણ મુકાઈ. યુનિવર્સિટીની ઇન્ક્વાયરી કમિટીમાં સ્પષ્ટ થયું કે આ વિદ્યાર્થીઓના ગુણ સુધારવામાં આવ્યા છે. સપ્લીમેન્ટરી આન્સર બુક બદલવામાં આવી છે. ત્યારબાદ સરકારે પણ કમિટી મૂકી. એની અંદર પણ એ જ પ્રકારનો રિપોર્ટ આવ્યો. ખુદ પંકજ કુમાર, કે જેઓ એસીએસ હોમ હતા અને બાદમાં ચીફ સેક્રેટરી થયા, તેમના અહેવાલની અંદર પણ આવ્યું કે હા, આન્સર બુક બદલાય છે અને મોટી ગડબડી કરી છે. ત્યારબાદ વધુ એક ઇન્ક્વાયરી કમિટી મુકાઈ, તેમાં પણ આ પ્રકારનો અહેવાલ આવ્યો.