જવાનો સાથે બર્બરતાનો ભારતીય સૈન્યએ લીધો બદલો, મિસાઇલથી પાકિસ્તાની બંકરો ઉડાવ્યા, જુઓ વીડિયો

Continues below advertisement

નવી દિલ્હીઃ પૂંચમાં કૃષ્ણા ઘાટીમાં ભારતના બે જવાનોની હત્યા અને તેના મૃતદેહ સાથે બર્બરતાનો ભારતીય સૈન્યએ જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સૈન્ય સતત પાકિસ્તાની પોસ્ટ અને બંકરો પર તોપમારો કરી રહી છે.  આ હુમલામાં પાકિસ્તાનની અનેક ચોકીઓ અને બંકરો તબાહ કર્યા હતા. ભારતીય સૈન્યની કાર્યવાહીનો એક વીડિયો એબીપી ન્યૂઝ પાસે છે. 

આ વીડિયોમાં ભારતીય સૈનિકો કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાની પોસ્ટ અને બંકરોને એટીજીએમ એટલે કે એન્ટી ગાઇડેડ મિસાઇલછી ઉડાવી રહ્યા છે. આ વીડિયો એક મેની ઘટના બાદનો છે. એબીપી ન્યૂઝને આ વીડિયો સૈન્યના સૂત્રો પાસેથી મળ્યો છે. તાજેતરમાં જ સૈન્ય વડાએ કહ્યું હતું કે, અમે પાકિસ્તાનની બર્બરતા વિરુદ્ધ કાર્યવાહી કરીને જ રહીશું.

સૈન્યના સૂત્રોએ જણાવ્યું હતું કે, હજુ તો આ શરૂઆત છે. હજુ પણ મોટી કાર્યવાહી કરવામાં આવશે. સૈન્ય અધિકારીઓ પાકિસ્તાનના કાવતરા વિરુદ્ધ યોજના  બનાવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની સૈન્યએ આતંકવાદીઓ સાથે મળીને ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી હતી. ત્યારબાદ ભારતીય જવાનો પર હુમલો કરી દીધો હતો. બાદમાં તેમના બે જવાનોના ગળા કાપી ભાગી ગયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram