અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આગામી બે દિવસમાં વધુ 20 હજાર લીટર ઓક્સિજનની ક્ષમતા ઉપલબ્ધ કરાશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદ: કોરોના સંક્રમણ વકરવાની સ્થિતિના પગલે રાજ્ય સરકાર દ્વારા અગમચેતીના ભાગરૂપે તૈયારીઓ શરુ કરી દીધી છે. આગામી બે દિવસમાં વધુ 20 હજાર લીટર ઓક્સિજનની ક્ષમતા ઉપલબ્ધ કરાવવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં 1200 બેડમાં 20 હજાર લીટર ઓક્સિજનની ક્ષમતા ઉપલબ્ધ છે. હાલ સિવિલ હોસ્પિટલ,કિડની હોસ્પિટલ અને કેન્સર હોસ્પિટલમાં કુલ 1112 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ. 112 દર્દીઓ વેન્ટીલેટર અને ઓક્સિજન બાયપેપ પર સારવાર હેઠળ છે. લગ્નની સીઝનમાં કોરોના વકરવા મામલે તબીબો દ્વારા ચેતવણી અપાઈ છે.