Ahmedabad: ચેખલાના કોવિડ કેર સેન્ટરનું CM રૂપાણીએ કર્યું નિરીક્ષણ, કહ્યુ- 16 હજાર ગામડાઓમાં કમિટી બની
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 May 2021 06:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App“મારુ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચેખલા ગામ સ્થિત કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મુલાકાત લીધી હતી. મારે ગામડાઓને બચાવવા છે – સુરક્ષિત કરવાં છે એટલે જ આ અભિયાન શરૂ કર્યું છે. સૌ સાથે મળીને કોરોના સામે જંગ લડીશું તો જીત નિશ્ચિત છે. સાફ નિયત અને સાચી દિશાના પ્રયત્નોથી ગુજરાતને કોરોનામુક્ત કરીશું.