
Ahmedabad Murder Case : માંડલમાં વૃદ્ધાની હત્યા અને લૂંટ કેસમાં મોટો ખુલાસો, કોણ નીકળ્યો હત્યારો?
Ahmedabad Murder Case : માંડલમાં વૃદ્ધાની હત્યા અને લૂંટ કેસમાં મોટો ખુલાસો, કોણ નીકળ્યો હત્યારો?
અમદાવાદના માંડલના રખિયાણા ગામમાં થયેલી લૂંટ વિથ હત્યાનો ગુનો ઉકેલાયો. ગામનો જ રમેશ ઠાકોર હત્યારો નીકળ્યો. એકલી રહેતી વૃદ્ધાને ઘરે લૂંટ ચલાવ્યા બાદ હત્યા કર્યાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. હાલ તો ગ્રામ્ય એલસીબીએ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જિલ્લા પોલીસે બહુ સરસ રીતે મર્ડર ડીટેક્ટ કર્યું છે, જેમાં ડોગ સ્કોડનો પણ હાથ છે. આરોપી શકમંદ જણાવવાથી એને પોલીસ પાસે લઈને ત્યારબાદ એની પૂછપરછ કરવામાં આવેલી હતી અને સઘન પૂછપરછ બાદ આરોપીએ આ બાબતે ગુનાનો પણ એકરાર કરેલો છે અને બીજી વસ્તુ આ બાબતે ખાસ જણાવવાની કે બેનના ઘરે અંદર બેસતા કેટલાક નજરે જોનાર સાહેદોએ પણ એને જોયેલો છે અને આના આધારે બહુ ઝડપથી માંડલ પોલીસે આ ગુનો ડીટેક્ટ કરેલો છે. હાલમાં આરોપી પોલીસની અટકમાં છે અને એમાં આગળ ઉપર કાર્યવાહી કરવાની તજવીજ ચાલુ છે.