Rathyatra 2024 । ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને લઇ અમદાવાદ પોલીસ સજ્જ
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRathyatra 2024 । ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને લઇ અમદાવાદ પોલીસ સજ્જ
ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજી નગર યાત્રાએ નીકળવાના છે ત્યારે રથયાત્રાને લઈને પોલીસ સુરક્ષા વ્યવસ્થા માટે સજ્જ બની છે. રથયાત્રાના રૂટ ઉપર થતી શંકાસ્પદ ગતિવિધિઓ, અસામાજિક તત્વો પર 1200 થી પણ વધુ સીસીટીવી કેમેરાની નજર રહેશે. અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રાના રોડ પર વેપારીઓ દુકાનદારો પેટ્રોલ પણ માલિકોને ફરજ પાડી સીસીટીવી લગાડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. એક મહિના અગાઉ રથયાત્રાના રોડ ઉપર માત્ર 117 જેટલા કેમેરા જ લાગેલા હતા. આ ઉપરાંત પોલીસના 66 કેમેરા હતા. પરંતુ ગુજરાત પબલિક સેફ્ટી એક્ટ અંતર્ગત એક મહિના દરમિયાન કરવામાં આવેલી કામગીરી બાદ રથયાત્રાના રૂટ ઉપર જન ભાગીદારીથી 1278 જેટલા કેમેરા લગાડવામાં પોલીસને સફળતા મળી છે.