અમદાવાદના પકવાન બ્રિજ અને સરખેજ- સાણંદ બ્રિજનું અમિત શાહના હસ્તે લોકાર્પણ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદમાં પકવાન ચાર રસ્તા અને સરખેજ- સાણંદ બ્રિજનું ગૃહમંત્રી અમિત શાહે ઈ-લોકાર્પણ કર્યુ હતું. બંન્ને બ્રિજના લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. 35 કરોડના ખર્ચે પકવાન ઓવર બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે જ્યારે સાણંદ જંક્શન ફ્લાય ઓવર બ્રિજ 36 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો. બંન્ને ઓવર બ્રિજના ઈ-લોકાર્પણ સમયે ગૃહમંત્રી અમિત શાહે દરેક ક્ષેત્રમાં ગુજરાત નંબર વન હોવાની વાત કરીને ગુજરાતના વિકાસ માટે ભારત સરકાર અડીખમ ઉભી હોવાની વાત કરી હતી. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વિકાસની ગાથામાં ઉત્તમથી સર્વોત્તમ પહોંચવાની વાત કરી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફાટક મુક્ત ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.