અમદાવાદઃ કોરોના કાળમાં ડોક્ટરની માનવતા, બાળકીની નવ દિવસ વિનામુલ્યે કરી સારવાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદના ઇસનપુરની શ્રદ્ધા બાળકોની હોસ્પિટલના ડોક્ટર જીતેન્દ્ર જેઠવાએ માનવતાનું ઉદાહરણ પુરુ પાડ્યું હતું. ઘોડાસરમા રહેતા એક દંપતિને ૨૫ નવેમ્બરે બાળકીનો જન્મ થાય છે અને બાળકીનો જન્મ થતા પરિવારમાં ઉમંગ છવાઈ જાય છે પણ જન્મના થોડા સમય પછી ડોકટર કહે છે કે બાળકી શ્વાસ નથી લઈ શકતી. દિકરીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવી પડશે. અનેક હોસ્પિટલોમાં બતાવ્યું પરંતુ મોટો ખર્ચ કહેવામાં આવતો હતો. જોકે, બાદમાં બાળકીનો પરિવાર ઇસનપુરમાં આ હોસ્પિટલમાં સારવાર કરાવવા પહોંચે છે. અહી બાળકીને ૯ દિવસ કાચની પેટીમાં રાખી અને ૩ દિવસ સીપેપ(શ્વાસ આપી શકે તે માટેનુ કૃત્રીમ મશીન)આરી સારવાર આપે છે અને દિકરી સાજી થઈ જાય છે. આ તમામ સારવારનો એક પણ રૂપિયો ખર્ચ ડોક્ટર લેતા નથી.