અમદાવાદના ઓઢવમાં ફાયરિંગ કરનારા વરરાજા જેલના સળિયા પાછળ ધકેલાયા

Continues below advertisement
અમદાવાદના ઓઢવમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરનાર વરરાજાને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે. આદિનાથ નગરમાં વરરાજા શિવા રાજપૂતે ઉત્સાહમાં આવી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું.વીડિયો વાયરલ થતાં જ ઓઢવ પોલીસે શોધખોળ શરૂ કરી હતી. આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વરરાજા શિવા અને તેના પિતા સુમનસિંહ રાજપૂતની ધરપકડ કરી હતી. વરરાજાના પિતા સુમનસિંહ BSFના નિવૃત હેડ કોન્સ્ટેબલ છે તેમની પાસે લાયસન્સવાળી રિવોલ્વર છે. એ જ રિવોલ્વરથી તેમના પુત્ર શિવાએ લગ્નમાં હવામાં ફાયરિંગ કરતા પિતા-પુત્રને લગ્ન બાદ જેલમાં રહેવાનો વારો આવ્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram