ખાનગી કંપનીમાં સિનિયર મેનેજર બોપલના આ યુવકે ઘરના આંગણામાં ઉગાડી શાકભાજી
કોરોના મહામારીએ વિનાશ વેર્યો છે તે બાબત નિશ્ચિત છે પરંતુ કોરોના મહામારી અને લોકડાઉનની કેટલીક હકારાત્મક બાબતો પણ સામે આવી છે. ખેતી અને આયુર્વેદને ભૂલીને મોર્ડન લાઈફ જીવતા યુવાનો કોરોનાના કારણે ફરી ખેતી અને આયુર્વેદ તરફ વળ્યા છે. જોકે આ યુવાનો હવે ખેતરમાં નહિ પરંતુ પોતાના ઘરના આંગણામાં રહેલી જગ્યામાં શાકભાજી અને ઔષધિઓ ઉગાડે છે. બોપાલના એક યુવાને પોતાના ઘરમાં શાકભાજી અને ઔષધિઓ ઉગાડી છે. આ યુવાન કેમ આમ કરવા લાગ્યો તે અંગે જોઈએ આ અહેવાલ.