Abp અસ્મિતા સન્માન પુરસ્કાર 2022:સરદાર પટેલના આદર્શને જીવંત રાખી સમાજ સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર નિરંજનાબેનનું એબીપી અસ્મિતાએ કર્યું સન્માન

Continues below advertisement

અમદાવાદ ખાતે અસ્મિતા સન્માન પુરસ્કાર 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ વિશેષ કાર્યક્રમમાં એબીપી નેટવર્કના CRO મોના જૈન હાજર રહ્યા હતા. અસ્મિતા સન્માન પુરસ્કાર કાર્યક્રમ સતત 4 વર્ષથી યોજાઈ રહ્યો છે. આ વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના 9 રત્નોનું અસ્મિતા સન્માન પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકારો અને અનેક હસ્તિઓએ હાજરી આપી હતી. સરદાર પટેલના સંસ્કારોને જીવંત રાખનાર નિરંજનાબેન કલાર્થીનું અસ્મિતા મહાસન્માનથી સન્માન કરાયું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram