યાત્રાધામ ડાકોર મંદિરમાં દાગીના ચોરીનો આરોપી 20 વર્ષે ઝડપાયો, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિરના દાગીના ચોરી પ્રકરણ નો 20 વર્ષથી ભાગતો ફરતો આરોપી રાજેન્દ્ર રાજપત તિવારી ઉર્ફે નંને ઉત્તરપ્રદેશ ના જોનપુરમાંથી ઝડપાતા નગરમાં ચકચાર મચી છે.મંદિરમાં રણછોડરાય પ્રભુના દાગીના અધિકારી તરીકે ફરજ બજાવતો આ શખ્સ પત્તાં અને આંકડાના જુગારનો અઠંગ ખેલાડી હતો. ગુનાહિત માનસિકતા ધરાવતો રાજેન્દ્ર તિવારી ઉર્ફે નંને પોતાની ફરજ ચુક્યો અને ભક્તોએ શ્રધ્ધા અને અસ્થાથી પ્રભુને અર્પણ કરેલા દાગીના જુગારની લતમાં નગરમાં ધીરધાર ના ધંધાર્થીઓને ત્યાં ગીરવે મૂકી મેળવેલ રકમ પણ જુગારમાં જ હારી ગયો હતો.લેણદારો ની ઉઘરાણી અને જુગારમાં સતત હાર થી ત્રસ્ત આ શખ્સ 4/12/2001 થી ડાકોર છોડી ભાગી ગયો હતો.ડાકોર મંદિર મેનેજર મનુભાઈ ભટ્ટ દ્વારા તારીખ 9/12/2001 ના રોજ ડાકોર પોલીસ સ્ટેશને કાયદેસરની ફરિયાદ આપવામાં આવી હતી.