અરવલ્લીઃ મેશ્વો ડેમમાંથી રવિ પાક માટે છોડાયું પાણી, 40 ગામોને મળશે લાભ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અરવલ્લી જીલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. મેશ્વો ડેમમાંથી રવિપાક માટે પાણી છોડાયું છે. પ્રથમ તબક્કામાં 50 કયુસેક પાણી છોડાયું હતું. જીલ્લાના મોડાસા અને ભિલોડા તાલુકાના ૪૦ ગામોના ખેડૂતોને ફાયદો થશે. મેશ્વો કેનાલ વિસ્તારની ૨૦૦૦ હેક્ટર જમીનને સિંચાઈનો સીધો ફાયદો થશે. પ્રથમ તબક્કામાં 15 દિવસ સુધી પાણી આપવામાં આવશે. પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.