Arjun Modhwadia | મોઢવાડિયા આજે ખેતરમાં, મંત્રીમંડળમાં ક્યારે?
હરેશ કણઝરીયા
Updated at:
13 Jul 2024 12:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppArjun Modhwadia | લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં મંત્રીમંડળમાં વિસ્તરણને લઈ ચર્ચા ચાલી રહી છે. ત્યારે પેટાચૂંટણીમાં વિજય બાદ કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપી ભાજપમાંથી ધારાસભ્ય બનેલા અર્જુન મોઢવાડિયાનું નામ મંત્રી પદની રેસમાં મોખરે છે. આ ચર્ચા વચ્ચે મોઢવાડિયાએ ખેતરમાં ટ્રેક્ટર ચલાવતો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. ત્યારે હવે ચર્ચા ઉપડી છે કે, મોઢવાડિયા આજે ખેતરમાં, મંત્રીમંડળમાં ક્યારે?
જોકે, ભાજપ મંત્રીમંડળનું વિસ્તરણ કરશે કે નહીં. તેમજ જો કરશે તો કોનો કોનો સમાવેશ થશે અને કોની બાદ બાકી થશે, તેવી ચર્ચાઓ રાજકીય ગલિયારીઓમાં થઈ રહી છે. જોકે, આ અંગે હજુ સત્તાવાર રીતે કોઈ સમાચાર સામે આવ્યા નથી. જોકે, રાજકીય ધુરંધરો માની રહ્યા છે કે, અર્જુન મોઢવાડિયા મંત્રી બની શકે છે.