બનાસકાંઠા: વાવના અનેક ગામના ખેડૂતો કેનાલના પાણીથી વંચિત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
બનાસકાંઠાના સરહદી વાવ ના અનેક ગામના ખેડૂતો પાણીથી વંચિત છે. રડોસન, મેધપુરા સહિત અન્ય ગામોમાં માઇનોર કેનાલમાં પાણી ન આવતા ખેડૂતોમાં ચિંતા ના માહોલ સર્જાયો છે. પંદર દિવસ થી માઇનોર કેનાલ માં પાણી ન આવતા સિઝન બગડી રહી છે. લાખો ના ખર્ચ ખેતી કરી પણ પાણી કેનાલ માં ન આવતા ખેડૂત લાચાર બન્યા છે. એક બાજુ કેનાલ તૂટે છે તો બીજી બાજુ છે કેનાલ પાણી વગર કોરિધાકોર. માલસણ ડિસ્ટ્રીબ્યુટર માંથી પસાર થતી રડોશન મેઘપુરા માઇનોર કેનાલમાં પાણી ના આવતા ખેડૂતોમાં રોષ છે. ત્યારે ભરડવા ગામના ખેડૂતો રાત દિવસ કેનાલ પર બેસી પાણી ની રાહ જોવે છે.