Chhota Udepur News: નકલી કચેરી ખોલી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મૃત્યુ.
abp asmita
Updated at:
16 May 2024 11:33 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મૃત્યુ. નકલી કચેરી ખોલી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર ટોળકીના મુખ્ય સૂત્રધાર સંદીપ રાજપૂતને ગઈકાલે અચાનક ગભરામણ થતા જેલ સત્તાવાળાઓને જાણ કરતા તાત્કાલિક તેને જનરલ હોસ્પિટલમાં લઈ જવાતો. જ્યાં ટૂંકી સારવાર બાદ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. હાર્ટ અટેકના કારણે મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. મૃતક સંદીપ રાજપૂત નકલી કચેરી કૌભાંડમાં નકલી કાર્યપાલક ઈજનેર બન્યો હતો. ધરપકડ બાદ સંદીપ રાજપૂત છેલ્લા સાત મહિનાથી નકલી કચેરી કૌભાંડમાં છોટા ઉદેપુરની જેલમાં બંધ હતો.