કોરોના કાળમાં ખાનગી વીમા કંપનીઓની લૂંટ, જુઓ વીડિયો

Continues below advertisement
જે મેડીક્લેમ અથવા તો મેડીકલ વીમો લોકો પોતાના આરોગ્યલક્ષી સેવા માટે આર્થિક બોજ ન પડે તે માટે લેતા હોય છે. પરંતુ કોરોના કાળમાં વીમા કંપનીઓનીની નીતિ અને મોટી મોટી હોસ્પિટલો ની પૈસા બનાવવાની નીતિના કારણે દર્દીઓએ પરેશાન થવાનો વારો આવે છે. સામાન્ય રીતે લોકો મેડીક્લેમ કુદરતી અથવા આકસ્મિક ઘટના સમયે આર્થિક ભારણ ન આવે અને તેમની સારવારનું ભારણ પણ ન પડે તે હેતુથી લેતા હોય છે. પરંતુ હાલ કોરોના ના કપરા કાળમાં મેડીક્લેમ હોવા છતાં દર્દીઓએ પરેશાન જવાનો વારો આવ્યો છે, અને હોસ્પિટલ તથા વીમા કંપનીના વલણથી કડવો અનુભવ થઈ રહ્યો છે. કેટલાક એવા કિસ્સા સામે આવી રહ્યા છે, કે જેમ પોતાની પાસે પૂરતો મેડીક્લેમ હોવા છતાં તેમણે તેની રકમ પૂરતું નથી મળી રહી. એટલું જ નહીં પરંતુ કેશલેશ ક્લેમની સુવિધા કોવિડના દર્દીઓને ન મળતી હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. જ્યાં દર્દીઓ મહામહેનતે કેશલેશ સારવાર લઈ પણ લે છે, ત્યાં 20 થી 30 ટકા રકમ દર્દીને ભરવાનો વારો આવી રહ્યો છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram