Banaskantha News: બનાસકાંઠા જિલ્લામાં નકલી ખાતરનો પદાફાર્શ, ખેતીવાડી વિભાગની કાર્યવાહી

Continues below advertisement

બનાસકાંઠા જિલ્લાનું થરાદના આશીર્વાદ એગ્રોમાંથી ઝડપાયું હતું નકલી ખાતર.  આ મામલે હવે ખેતીવાડી વિભાગના અધિકારીએ આશીર્વાદ એગ્રોના માલિક કીર્તિભાઈ ધુમડા અને સંચાલક ગૌતમ સેંગલ સામે નોંધાવી છે પોલીસ ફરિયાદ. વાત એવી છે કે, થોડા દિવસ પહેલાં આશીર્વાદ એગ્રોમાંથી એક ખેડૂતે DAP ખાતરની 8 બોરી ખરીદી હતી. જો કે, તેમાંથી ખાતરના બદલે માટી નીકળી હતી ખેડૂતે ખેતીવાડી વિભાગને જાણ કરતાં જ અધિકારીઓ દોડી આવ્યા હતા અને આશીર્વાદ એગ્રોને સીલ મારી. ખાતરના સેમ્પલ તપાસ અર્થે લેબમાં મોકલ્યા હતા.  રિપોર્ટમાં ખુલ્યું કે, ખાતર જ નકલી હતું. જેને લઈ હવે ખેતીવાડી વિભાગના અધિકારીએ આશીર્વાદ એગ્રોના માલિક અને સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.. તો તપાસમાં એ પણ ખુલ્યું કે, આશીર્વાદ એગ્રો સેન્ટરને સબસિડીયુક્ત ખાતર વેચવાનો પરવાનો જ નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram