કચ્છ અને તાલાલામાં ભૂકંપના ચાર આંચકા નોંધાયા, જાણો ક્યાં નોંધાયું ભૂકંપનું એપી સેન્ટર?
Continues below advertisement
કચ્છ અને તાલાલા પંથકમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત રહ્યો હતો. કચ્છ અને તાલાલામાં આજે સવારથી બપોરે દોઢ વાગ્યા સુધીમાં ભૂકંપના ચાર આંચકા નોંધાયા હતા. પ્રથમ આંચકો કચ્છમાં સવારે 4 વાગ્યેને 23 મીનિટે નોંધાયો. આ આંચકાની તીવ્રતા 1.9 નોંધાઈ તો કેંદ્ર બિંદુ દૂધઈથી 21 કિમી દૂર નોંધાયું. જ્યારે બીજો આંચકો સવારે 7 વાગ્યેને 47 મીનિટે નોંધાયો. આ આંચકાની તીવ્રતા 1.4ની અને તાલાલાથી 12 કિમી દૂર કેંદ્રબિંદુ નોંધાયું.. તો તાલાલામાં ત્રીજો આંચકો 1.9ની તીવ્રતાનો સવારે 7 વાગ્યેને 49 મીનિટે નોંધાયો. જ્યારે બપોરે 1 વાગ્યેને 20 મીનિટે ચોથો 2.5ની તીવ્રતાનો આંચકો નોંધાયો.
Continues below advertisement