Gir Somnath | યુરિયા ખાતરની અછતથી ખેડૂતોની વધી પરેશાની, જુઓ વીડિયોમાં
abp asmita
Updated at:
15 Aug 2024 12:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGir Somnath | જિલ્લામાં વરસાદે વિરામ તો લઈ લીધો પણ હવે યુરિયા ખાતર ન મળતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે...ગીર સોમનાથ જિલ્લામાં સતત વરસાદ પડ્યા બાદ વરસાદે વિરામ લીધો છે ત્યારે ખેડૂતો માટે યુરિયા ખાતર સૌથી મોટો પડકાર બન્યું છે કારણ કે ખેડૂતો ના મગફળી,કપાસ અને સોયાબીન જેવા પાકો ના ગ્રોથ માટે ખેડૂતો તાત્કાલિક યુરિયા ખાતર ની જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે કોડીનાર તાલુકા ના ખેડૂતો છેલ્લા 1 માસ થી સંઘ,મંડળી કે ખાતર ડેપો માં યુરિયા ખાતર માટે ભટકી રહ્યા છે તેમ છતાં ખેડૂતો ને યુરિયા ખાતર નહિ મળતા ખેડૂતો માં રોષ ભભૂક્યો અને સરકાર સમક્ષ તાત્કાલિક અસરથી યુરિયા ખાતર પૂરું પાડવા માંગ કરી રહ્યા છે. અને ખેડૂતોને જો સમયસર યુરિયા નહીં મળે તો પાક ઉત્પાદન ઉપર મોટી અસર પડશે