SOU પાસે રજવાડાઓના મ્યુઝિયમના નિર્માણ કાર્ય માટે સરકારે સમિતિ બનાવી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 562 રજવાડાઓનું મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ મ્યુઝિયમના નિર્માણ કાર્ય માટે રાજ્ય સરકારે સાત સભ્યોની એક સમિતીની રચના કરી હતી. આ સમિતિમાં રજવાડાઓના પ્રતિનિધિ, પુરાતન વિભાગના અધિકારી, ઈતિહાસકાર સહિતના વિશિષ્ટ વ્યકિતઓનો સમાવેશ કરાયો છે. આ કમિટીમાં રાજ્ય સરકારના પૂર્વ અધિક મુખ્ય સચિવ અને રાજવી પરિવારના સભ્ય એસ.એસ. રાઠોડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો રાજકોટના રાજવી માંધાતાસિંહનો પણ સભ્ય તરીકે સમાવેશ કરાયો છે.