'હવે સચિવાલયમાં તમને કોઈ રોકશે નહીં, તમારી સાથે કોઈ ઉદ્ધતાઈ પણ નહીં થાય'

Continues below advertisement

વેરાવળઃ આજે ગીર સોમનાથ જિલ્લા ભાજપના નિર્માણાધીન નૂતન ભવનના ખાતમુહૂર્ત પ્રસંગે પ્રદેશ પ્રમુખ પાટીલે કાર્યકરોને આહ્વાન કર્યું હતું અને વિધાનસભાની ચૂંટણીમાં કામે લાગી જવા જણાવ્યું હતું. તેમણે કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું કે,  ધારાસભાની ટીકીટ માટે કોઈ લાગવગ નહીં ચાલે. પાર્ટી કાર્યકર્તાઓનો જેને સપોટ હશે તેને જ ટીકીટ મળશે. નવી કેડર ઉભી કરાશે અને નાના કાર્યકર્તાઓને સ્થાન મળશે. હવે સચિવાલયમાં કોઈ રોકશે નહીં કે તમારી સાથે કોઈ ઉદ્ધતાઈ પણ નહીં થાય. તેમણે 182 બેઠક જીતવા દ્રઢ નિર્ધાર કર્યો હતો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram