સીઆર પાટીલનો હુંકારઃ 'અધિકારીઓએ મનપા-પાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યોને પણ જવાબ આપવો પડશે'
Continues below advertisement
અમરેલીઃ લાઠીના કાચરડી ગામે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલનું વધુ એક નિવેદન સામે આવ્યું છે. રાજ્યમાંથી દાદાઓનું રાજ ખતમ થયું. એક ઉદાહરણ આપીને કહ્યું હતું કે કોઈ દાદાઓ ભાજપની સરકારમાં જોવા નહીં મળે. દાદાનો હિસાબ કેશુભાઈના સમયથી શરું થયો અને ક્યારેનો પૂરો થયો. ગામમાં ભાભા હોય અને હનુમાન દાદા હોય તેમને તો રાખવા પડે બીજા કોઈ દાદા ન હોય. ગામમાં દાદાઓ હોય તો ધ્યાન દોરજો. આ ઉપરાંત તેમણે અધિકારીઓએ મનપા-પાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યોને પણ જવાબ આપવો પડશે, તેમ પણ કહ્યું હતું.
Continues below advertisement