PSI,ASIની ભરતીમાં અનામતને લઈ રાજ્ય સરકારે શું કરી સ્પષ્ટતા ? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Mar 2021 05:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppPSI-ASIની ભરતીમાં અનામતને લઈ ચાલી રહેલા વિવાદ પર ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે. હાલ માં ગૃહવિભાગ હેઠળ 4 સવર્ગ જાહેરાત બહાર પડી હતી. જેને લઈને સોશિયલ મીડિયા માં કેટલીક ગેરસમજ ચાલી રહી છે. પોસ્ટ બેઝ થી ભરતી અંગે ના ભૂતકાળમાં કોર્ટ ના ચુકાદા આધારે ગુજરાત સરકાર એ 1993 બાદ ના અનામત અને રોસ્ટરની નિયમો નક્કી કરવામાં આવ્યા હતા. રોસ્ટર રજીસ્ટર મુજબ અનામત વર્ગો જેતે સમયે વધ કે ઘટ બહાર આવી જતું હોય છે. સોશિયલ મીડિયા અનેક પોસ્ટ વાયરલ થઈ છે. અમારી સરકાર કોઈ ને અન્યાય થવા દેવા માંગતી નથી. આ ભરતી પ્રકિયા માં અનામત નો કોઈ ઘટાડો થયો નથી. સોશિયલ મીડિયા માં ઈરાદા પૂર્વક ગેરસમજ ઉભું કરવાનો પ્રયાસ થયો છે. આ મામલે સાયબર ક્રાઇમ તપાસ કરી રહી છે