'ભાજપમાં માછીમારોને વધારે કાંઇ આપવામાં આવતું નથી....ભલે હું સરકારમાં રહ્યો પણ કરી નથી શકતા એ સત્ય છે'
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Jun 2021 02:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરૂપાણી સરકારના મંત્રી પરસોત્તમ સોલંકી સરકારથી નારાજ જોવા મળ્યા હતા. સોલંકીએ કહ્યું કે, માછીમારો સાથે અન્યાય થયો છે. મત્સ્યોદ્યોગના મંત્રી માછીમારો માટે ચિંતિત જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, વાવાઝોડા બાદ માછીમારોને મદદ મળી નથી. સરકારે માછીમારોને આપ્યું નથી. કોળી નેતાએ ચિંતા વ્યક્ત કરી હતી. સોલંકીએ કહ્યું કે, માછીમારોને ભાજપની સરકાર દ્વારા વધુ કંઇ આપવામાં આવતું નથી. પેકેજ આપ્યું પણ અમલવારી નથી થઈ રહી, બધી વાતો છે ખાલી. ઝવેરભાઈ બિચારા મારી બધી વાત માને છે એ પોતે પણ લાચાર છે