Diwali 2024: દિવાળી પર વતનમાં જવા ST સ્ટેશન પર લોકોની ભીડ, જુઓ VIDEO

Continues below advertisement

દિવાળીના તહેવારમાં માદરે વતન જવા માટે રાજ્યના અલગ અલગ શહેરોમાં એસટી સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ. અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં પરિવારની સાથે દિવાળીના પર્વની ઉજવણી કરવા લોકોએ વતનની વાટ પકડી છે...વહેલી સવારથી જ એસટી સ્ટેશન પર લોકો ઉમટ્યા છે. તો દિવાળીને ધ્યાને રાખી એસટી વિભાગ વધારાની બસ દોડાવી રહ્યું છે. દિવાળીના તહેવાર પર 8 હજાર 340 એકસ્ટ્રા ટ્રીપનું સંચાલન કરાશે..મુસાફરો ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટ બુકિંગ કરાવી શકે છે. ભાવનગર...અમરેલી...જુનાગઢ...અને રાજકોટમાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો સુરતમાં સ્થાયી થયા છે..આવા લોકો તહેવારો પર ઘરે જઈ શકે તે માટે 2 હજાર 200 એક્સ્ટ્રા બસનું સંચાલન કરાશે. સુરતથી અમરેલી માટે 166, સુરતથી ભાવનગર માટે 217 અને સુરતથી બોટાદ માટે 26 એસટી બસ બુક થઈ ચુકી છે..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram