Sanjay Koradia: જૂનાગઢના MLAની નાગરિકોને અપીલ, સાચા કામ માટે અધિકારીઓને પૈસા ન આપવા
abp asmita
Updated at:
14 Jun 2024 05:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ નાગરિકોને કરી અપીલ. સાચા કામ માટે અધિકારીઓને પૈસા ન આપવાની કરી વાત. સાચા કામ હશે તો હું તમારા કામ પુરા કરી દઈશ તેવી કોરડિયાએ કરી વાત. પૈસા આપીને કામ કરાવવાની ટેવ ન પાડવાની કરી વિનતી.
કોઈપણ અધિકારીના સાચા કામ માટે રૂપિયા ન આપવા. આ નિવેદન આપ્યુ છે ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયાએ. જુનાગઢ ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયાએ સોશલ મીડિયામાં એક વીડિયો વાયરલ કર્યો અને અપીલ કરી કે. સાચા કામ હશે તો તમામના કામ કરીશ. કેમ કે લોકોના કામ કરવાની જવાબદારી મારી છે.. પરંતુ કોઈપણ અધિકારીને સાચા કામ માટે રૂપિયા ન આપવા. કામ બે દિવસ મોડું થાય પરંતુ પૈસા આપી કામ કરાવવાની ટેવ ન પાડવી